Total Pageviews

Tuesday, July 13, 2021

ના શોધો

 ના શોધો સંસ્કાર સાડીમાં 

શોધો સંસ્કાર વાણી માં 

ના શોધો વિવેક પ્રણામ માં 

શોધો વિવેક વ્યવહારમાં 


ના શોધો ઉપદેશ ભાષણ માં 

શોધો એ નેતાઓના જીવનમાં 

ના શોધો મર્યાદા ઘૂંઘટમાં 

શોધો મર્યાદા નજરમાં 


ના શોધો શાંતિ મંદિરીયે  

શોધો શાંતિ મન મંદિરે   

ના શોધો ભગવાન તીર્થ ધામે 

છે છુપાયો એ  નિજ અંતરે 


જ્યારે જ્યારે આપણ સૌ 

ભૂલી ગયા સમજણ સાચી 

અર્પી મહત્તા અસ્થાને 

ને ગૂંચવાયા પ્રતિકોમાં 


ત્યારે ત્યારે ભાવ વિસરાયો,

ભાવના બની પાંગળી  

અને સંસ્કાર ની જગ્યાએ 

બન્યા ખોખલા માનવી 


મીનળ 




















No comments:

Post a Comment